Installation Completed

Your app has been installed successfully.

Home Back Login Register
Back

Blog Details

196) અરેન્જ મેરેજ  Vs  લવ મેરેજ

અરેન્જ મેરેજ  Vs  લવ મેરેજ
(Arrange Marriage Vs Love Marriage)
~~~~~~~~~~~~~~

અરેન્જ મેરેજ વધુ સારુ ?
   કે 
લવ મેરેજ વધુ સારુ ? 

સમાજ મા આ ડિબેટ વર્ષો થી ચાલે છે. તો ચાલો આજે આપણે આ મહત્વ ના વિષય ઉપર ભૂદેવ મેટ્રિમોની પ્લેટફોર્મ ઉપર વાત કરીયે  :

➡️ અરેન્જ મેરેજ  :-
(Arrange Marriage)

* અરેન્જ મેરેજ (લગ્ન-મેળાપક સંસ્કાર) એ માત્ર એક શબ્દ નથી. દરેક ના જીવન નો આ ખુબજ મહત્વ નો વિષય છે. જેને દરેક એ ખુબજ ગંભીરતાથી, રસપૂર્વક, તથા આનંદપુર્વક લેવો જોઈએ. 

* લગ્ન - વિવાહ સંસ્કાર (અરેન્જ મેરેજ) એ, સનાતન હિન્દૂ સંસ્કૃતિ મા સોળ-સંસ્કાર પૈકી નો એક ખુબજ મહત્વ નો સંસ્કાર છે. જેમાં યુવક - યુવતી વચ્ચે અનેક બાબતો ગોઠવવા મા આવે છે (એટલે કે અરેન્જ કરવામાં આવે છે). 

* અરેન્જ મેરેજ મા યુવક-યુવતી નો બાયોડેટા - ગુણ - યોગ્યતા - પસંદગી - મિટિંગ - મનમેળ - જ્યોતિષ, વગેરે ના આધારે અનેક - અનેક વાતો નું *મેળાપક - ગોઠવણી કરવાની હોય છે (અરેન્જ કરવાનું હોય છે)*. આથી આપણે આ લગ્ન-પદ્ધતિ ને અરેન્જ મેરેજ કહિયે છે. 

* અનેક બાબતો ને આધાર રાખીને યુવક - યુવતી ના પૅરેન્ટ્સ, વડીલો, સગા-સંબંધીઓ, ગોર મહારાજ તથા સમાજ સાથે મળીને ખુબજ ધ્યાન પૂર્વક, યુવક - યુવતી ના અનેક પ્રકાર ના ગુણ-અવગુણ, દેખાવ, ભણતર, આવક, ચોઈસ, યોગ્યતા, બંને ના જન્માક્ષર, ગ્રહ-યોગો, નાડી - ગોત્ર, શનિ - મંગળ, 36 ગુણાંક, વગેરે લગભગ 12-15-25 થી વધુ પોઇન્ટ નું ઝીણવટ-પૂર્વક ગહન અધ્યયન અને અવલોકન કરે છે, પોતાનો બાહોળો અનુભવ નો ઉપયોગ કરે છે, તથા એક શુભ જોડું બનાવે છે. જે પોતાના લગ્ન-જીવન મા સારુ સ્વાસ્થ્ય - સુખ - શાંતિ - સમૃદ્ધિ - સંતતી - સંતોષ મેળવીને પોતાનું જીવન સાર્થક બનાવે છે. અને આમ સમાજ મા એક સારુ જોડું બને તો સમાજ આગળ વધે. 

* સાચી રીતે જો અરેન્જ મેરેજ કરવામાં આવે તો જીવન મા ચોક્કસ સારુ સ્વાસ્થ્ય - સુખ - શાંતિ - સમૃદ્ધિ - સંતતી અને સંતોષ મેળવી શકાય છે. 

* આપણા શાસ્ત્રો મુજબ, વિવાહ - લગ્ન - મેરેજ એ, ભૌતિક વિષય કરતા 10 ઘણો વધુ આધ્યાત્મિક વિષય છે. જો જીવન મા સાચું સુખ - શાંતિ - સમૃદ્ધિ - સંતોષ મેળવવો હોય તો વેદોક્ત - શાસ્ત્રોત પદ્ધતિ મુજબ, સારો એવો સમય આપીને અરેન્જ મેરેજ કરીયે તો એ શ્રેષ્ઠતમ છે. 

➡️ લવ - મેરેજ : 
(Love Marriage)

* લવ મેરેજ (ગુજરાતી મા પ્રેમ-લગ્ન કહેવાય છે) એક મૃગ-તૃષ્ણા સમાન વિષય છે. અત્યારે સાચો પ્રેમ ક્યાં જોવા મળે છે ? 

* આજના સમય મા, લવ મેરેજ 75% નિષ્ફળ જાય છે. કારણ કે પ્રથમ તો સાચો પ્રેમ હોતોજ નથી. તે માત્ર એક શારીરિક આકર્ષણ હોય છે. અને તે અમુક સમય પછી ઓછું થઇ જાય છે. 

* લવ-મેરેજ ના નામ ઉપર માત્ર જુવાની નું આકર્ષણ હોય છે. પ્રલોભનો હોય છે. દેખા-દેખી હોય છે. 

* આજકાલ ના પ્રેમ-સંબંધો મા માત્ર ને માત્ર શારીરિક દેખાવ નું આકર્ષણ - ભ્રામક મેકઅપ વાળું આકર્ષણ - પૈસો - મોંઘી ગાડી - બંગલો - મોભો - દેખાડો - સ્વાર્થ વધુ હોય છે. ઘણી વખત લવ-જિહાદ અને છેતરપિંડી માટે પણ લવ-મેરેજ થતા હોય છે. 

* માત્ર આ બધી ભૌતિક વાતોથી લગ્ન જીવન મા સફળતા - સુખ - શાંતિ - સંમૃદ્ધિ, સંતોષ મળતો નથી. 

* જન્મ - લગ્ન - મરણ, જીવન ની આ 3 મુખ્ય બાબતો વ્યક્તિ ના પૂર્વ-જન્મ ના સારા - નરસા કર્મો, કર્મો ને આધીન હોય છે. 

* છતાં કર્મ મહાન છે. આજનું સારુ કર્મ ભવિષ્ય ને પણ બદલી શકે છે. આ જન્મ મા સારી સંસ્થા, પૅરેન્ટ્સ અને વડીલો દ્વારા અરેન્જ-મેરેજ કરાવવામાં આવે તો ચોક્કસ સફળતા પૂર્વક સુખી લગ્ન - જીવન પ્રાપ્ત થાય છે. કુટુંબ - પરિવાર - સમાજ ને ખુબજ સારો લાભ થાય છે. 

--- Bhudev Matrimony 
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
BhudevNetwork.com

 

Enquire Now